કંઈક વહી હતી રક્તની ધારા,
ત્યારે થઈ હતી સ્વતંત્ર આ ધરા...
હતું જોમ એ વીરોનાં રક્તમાં,
જે લડ્યાં હતાં દેશ કાજે દેશભક્તિમાં...
શણગારી હતી માતૃભૂમિ જેમણે લોહીથી,
પળવારમાં ભૂલ્યા લોકો ભ્રષ્ટાચારના મોહથી...
લડ્યાં હતાં સૌ સાથે મળી રાખી હૃદયે દેશભક્તિ,
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભૂલીને ધર્મભેદ-ભક્તિ...
મળી આઝાદી અને પડ્યા વાડા ધર્મ અને જાતિના,
ફરી વહેચાઈ ' મા ' ભોમ આજ પોતાનાં જ સંતાનોમાં...
હું હિન્દુ, હું મુસ્લિમ કહેવાવાળા
ઘણા મળ્યાં રસ્તામાં,
હું હિન્દુસ્તાની, આટલું કહેવાવાળા નથી
મળતાં સસ્તામાં...
- પાર્થ પ્રજાપતિ
શનિવાર, 15 ઑગસ્ટ, 2020
દેશભક્તિ
Tags
# વિચારો નુ વિશ્લેષણ
# Analysis of thought
# Poem
About વિચારોનું વિશ્લેષણ
The article written on this blog is based on my personal thoughts and analysis of my thoughts. I warmly welcome every reader friend who comes to my blog . The purpose of any post on this blog is not to hurt anyone ' s personal, religious or social feelings . This blog only tries to link topics related to information, literature, Education,recent memories and history. Thank you.
Poem
લેબલ્સ:
વિચારો નુ વિશ્લેષણ,
Analysis of thought,
Poem
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ
રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...
ખુબ સરસ
જવાબ આપોકાઢી નાખોખુબ ખુબ આભાર
કાઢી નાખો