Pages

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

ભીતરની લાગણી - શ્રીમાળી અંજના

રચના: ભીતરની લાગણી

લેખક - શ્રીમાળી અંજના   

            "અંજિતા"


ભીતરની લાગણીને ઠાલવીને જીવી લીધું.

એમ જિંદગીના દર્દને સ્વીકારી લીધું.


ઉપર છલ્લા વ્યવહારમાં લાગણીઓ સીચી લીધી,

એમ જિંદગીને હસતા મોઢે સ્વીકારી લીધી.


સપના, લક્ષ્ય ,અરમાનોને હળવેથી દાબી દીધા,

સૌના કોડ પૂરા કરવા,જાતથી સમાધાન કરી લીધા.


વાસ્તવિકતાના વંટોળમાં સંબંધોને જોઈ લીધા,

કલ્પનામાં જાત ને સોણલાંથી સજાવી દીધા.


ક્ષણભર સ્મૃતિ પટ પર જીવન જીવી લીધું,

આખું આમ જ જીવન પસાર કરી દીધું.


લેખકનું નામ:- અંજના શ્રીમાળી 

                    "અંજીતા'


બાંહેધરી :- આથી હું, 'શ્રીમાળી અંજના ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.