Pages

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

યાદગીરી - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ:- યાદગીરી

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


આત્મીયતા હોય તો 

પણ આવકાર જરૂરી છે.


સ્મરણ હોય ત્યાં વિસ્મરણ પણ જરૂરી

 છે.


 રોજ તને હું ભૂલી જાઉં તો પણ યાદ 

 તારી રાખવી જરૂરી છે.


પ્રેમ કોઈ કરે એની 

પણ પીડા સહેવી જરૂરી છે.


વધુ પડતું બોલો પછી

મૌન રાખવું પણ જરૂરી છે.


 જિંદગીની દોડધામ 

પછી શ્વાસ લેવો પણ જરૂરી છે.


શેર બજાર ઉપર ગયા 

પછી નીચે પડવું પણ જરૂરી છે.


સહજીવન ગાળતા હોય તો ઝુરાપો પણ 

 જરૂરી છે.


સંબંધો વિકસાવ્યા 

પછી નિભાવવા જરૂરી છે.


સહેવાસની તૃપ્તિ  

થયા પછી એકાંત પણ જરૂરી છે.


વિસંવાદ થયા પછી સંવાદ પણ જરૂરી છે.

  

ભલે ચહેરો જુઓ અરીસે,અંતરમાં

પણ ઝાંકવું જરૂરી છે.


લઇ જવાના હોય કાંધે 

તો કાંધની મજબૂતી પણ જરૂરી છે.


કૃષ્ણને કોઈ નહી પૂછે 

રાધા સંગાથે હોવી જરૂરી છે.


ઘનશ્યામ વ્યાસ

 "શ્યામ"


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ 'શ્યામ"

 ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.