Pages

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

દિવસ- દેવીબેન વ્યાસ-વસુધા

રચનાનું નામ -દિવસ

લેખકનું નામ-દેવીબેન વ્યાસ-વસુધા



આજ તો આતમ તણાં શણગારનો દિવસ બન્યો.

આજ તો સંગમ તણાં વિચારનો દિવસ બન્યો.


લાગણીના તોરણે તો પોંખવા છે જાતથી ,

આજ તો આગમ તણાં સંચારનો દિવસ બન્યો.


સૂર્ય સામો શું ધરું હું આયનો બોલો જરાં,

આજ તો મોઘમ તણાં હર તારનો દિવસ બન્યો.


દિલ વલોવીને અમે નવનીત કાઢ્યું છે જુઓ,

આજ તો નૌતમ તણાં ઉપચારનો દિવસ બન્યો.


દિલ તણી આ પાલખી તૈયાર છે મહેમાન ઓ,

આજ તો અણનમ તણાં વહેવારનો દિવસ બન્યો.


હેતના ઝુલે હિચોળે, લાગણી તૈયાર છે,

સ્તોત્ર ગાથા મંત્રના ઉદ્ગારનો દિવસ બન્યો.


આંગણે આવે અતિથિ, ધન્ય લાગે જિંદગી,

પ્રીતડીને સીંચતાં તહેવારનો દિવસ બન્યો.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.