જીવનનું રહસ્ય - પ્રીતિ પટેલ "સ્નેહ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

જીવનનું રહસ્ય - પ્રીતિ પટેલ "સ્નેહ"

રચનાનું નામ = જીવનનું રહસ્ય.!!

લેખકનું નામ = પ્રીતિ પટેલ "સ્નેહ"

_______________________________________


ક્યાં સુધી જીવનનું રહસ્ય શોધવાં મથામણ કરીશું,

જંજાળ કોરાણે મૂકી ક્યાંક તો પોરો ખાવા થંભીશું !


જાણીએ છીએ લલાટે લખેલું કદી મિથ્યાં નથી થવાનું,

તો ભવિષ્યનાં ગર્ભને જાણવાં શિદને વલખ્યાં કરવાનું!


આદરી રાજતિલકની તૈયારી! ભાગ્યે દીધો વનવાસ જ્ઞાત , 

નાં જાણી શક્યાં કર્મોની ગાથા નાથ! આપણી શું વિસાત!


છોડ વ્યર્થ પ્રયત્નો કરવાં! જીવી લે સંસારની સુંદર પળો,

પ્રેમની જ્યોતથી અજવાળીએ જગમાં માનવતાનો મેળો!


પુણ્યનું ભાથું બાંધીશું તો નહીં રંજાડે બીજી કોઈ વ્યથા,

પરોપકારની ટેક રાખીશું સદાય! નથી જાણવી અન્ય કથા!



લેખકનું નામ = પ્રીતિ પટેલ "સ્નેહ"  (અમદાવાદ)


બાંહેધરી = આથી હું પ્રીતિ પટેલ "સ્નેહ" આપને ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં લેવાનો આપને અધિકાર છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...