Pages

સોમવાર, 7 ઑગસ્ટ, 2023

ના કર અતિરેક- સંજય પ્રજાપતિ


રચનાનું નામ - ના કર અતિરેક 

લેખકનું નામ- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'મુન્દ્રા કચ્છ


ના કર અતિરેક અહંકાર એથી સર્જાશે વિનાશ,

કર્યા કર્મ તો ભોગવવા પડશે ત્યાં ન મળે કચાશ.


હળીમળીને સૌ રહીએ તો સંબંધમાં રહે મીઠાશ,

પણ વધુ પડતો સ્નેહનો અતિરેક કરાવે છે કંકાશ.


ત્રણેય કાળનું જ્ઞાન પામ્યો તોય સહદેવ છે વિવશ,

આવા જ્ઞાનના અતિરેકથી પાંડવો પણ થ્યાં નિરાશ.


નવા પ્રેમસંબંધે દેખાતો અતિરેકભર્યો પ્રેમ જોશ,

પણ નજીક આવે ત્યારે ભ્રમ તૂટે યાદ આવે ઈશ.


પૈસા કમાણી ધનનો અતિરેક બનાવે છે પરવશ,

લોભ લાલચ છૂટે નહીં વિસરાય પછી જગદીશ.


લેખકનું નામ:- *સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'મુન્દ્રા* 


 *બાંહેધરી* :- આથી હું, 'સંજય પ્રજાપતિ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.