Pages

મંગળવાર, 1 ઑગસ્ટ, 2023

યાદોના મોતી- શ્રીમાળી અંજના "અંજિતા"

રચનાનું નામ ,:યાદોના મોતી 

લેખકનું નામ: શ્રીમાળી અંજના "અંજિતા"



નથી કોઈ વાત તો પણ વાત મજાની છે,

હવે ના દિલની હાલત તારાથી અજાણી છે.


મળે જ્યારે તમારો સ્નેહ એ ઘડી છે જીવન,

બાકી બધી ક્ષણો વિતે એતો કપરી સજાની છે.


હજુ છે યાદ એ દિવસો હતાં કેવા અજબ મારાં,

સુહાની સાંજ ને રાતો બધી વીતી વફાની છે.


ચમકે છે આંખમાં મારી સદાયે યાદના મોતી,

આ લાલી ગાલની મારાં તમારી તો નિશાની છે.


રહું જ્યાં પણ રહે સાથે તમારી વાર્તા મારી,


ફક્ત તું ને હું "અંજીતા" આટલી બસ કહાની છે.


~અંજના શ્રીમાળી,"અંજીતા અમદાવાદ.


બાંહેધરી :- આથી હું, 'શ્રીમાળી અંજના "અંજિતા" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.