ઉદાસી - દેવીબેન વ્યાસ વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 16 સપ્ટેમ્બર, 2023

ઉદાસી - દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ:- ઉદાસી

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖


આજ ઉદાસી વિખેરી નાખ તું.

ઊઠ સઘળાં સૂર છેડી નાખ તું.


જિંદગી છે ત્યાં સુધી સુખ - દુ:ખ મળે,

સર્વ ચિંતાઓ ખદેડી નાખ તું.


રોજ સાગર રાત દિવસ ઘૂઘવે,

મોજને દિલમાં સજાવી નાખ તું.


આ જગતનો ના ભરોસો રાખજે,

જાતને ઝીણી બનાવી નાખ તું.


એક મોજું જાય ત્યાં બીજું આવતું,

ચક્રવત જીવન સુધારી નાખ તું.


ફીણ તો સાગર મુખે પણ આવતાં,

એ કિનારે એમ લાવી નાખ તું.


એષણાઓ રાખ ના દુનિયા મહીં,

હર અપેક્ષાઓ બુઝાવી નાખ તું.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...