Pages

રવિવાર, 24 સપ્ટેમ્બર, 2023

જીવનનો હિસાબ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'

રચનાનું નામ: જીવનનો હિસાબ 

લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'


જીવનનો હિસાબ..


સમજણ આવી ત્યારથી,

લાગણી સંગ જીવતી રહી..

એક ને એક અગિયાર કરી

જીવનનો હિસાબ કરતી રહી..


ભાગીદારી આનંદની કરી,

સ્નેહના સરવાળા કર્યા..

આપત્તિઓની બાદબાકી..

કર્યા હર્ષના ગુણાકાર..


સુખ ભોગવવા સૌને દેતી,

દુઃખમાં રહેતી પડખે સૌની..

હેત ભાવની કરી ભાગીદારી,

નફો જ નફો જીવનમાં પામી..


પ્રેમના તાંતણે બંધાયા પછી

સુખદ પળોના થયા સરવાળા..

જીવન મધુર મધુર બન્યું,

પ્રિયતમનો જ્યાં સાથ મળ્યો..


દરેક કાર્યમાં સાક્ષી પ્રભુજી,

સાચું ખોટું એ જ કરાવે..

નિમિત્ત બની કાર્યો કરતાં!

પૂર્ણ કર્યો જીવનનો હિસાબ..

        

 ✍️.. શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા


બાંહેધરી: હું મીનાક્ષી બાંહેધરી આપું છું કે આ રચના મારી મૌલિક છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનુની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.