Pages

સોમવાર, 18 સપ્ટેમ્બર, 2023

કવિનું બારણું - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચના: કવિનું બારણું 


બારણું ખાલી આ 

અમથું જ ટેકવેલુ છે, માટે

'લખ્યું નથી' અંદર કોઇએ આવવું નહીં.


આમ તો આવે કવિઓ

 મહેફિલ સજાવવા, માટે

'લખ્યું નથી ' અંદર કોઈએ 

આવવું નહી.


ઘણા ગઝલકાર પણ મળી

રહેશે,આવશે જામ સાથે, માટે

'લખ્યું નથી ' અંદર કોઈએ 

આવવું નહી.


દુશ્મનો ભલે આવો, કવિતા

સજાવજો હથિયારની. માટે

'લખ્યું નથી ' અંદર કોઈએ 

આવવું નહી.


કૂતરાને નથી સાંકળ

એટલે ભસસે તો નહી,

પણ ડૉરબેલ માં કવિતા 

ભસે તો ડરવું નહી.


આ તો છે શ્યામનું બારણું 

 ને શ્યામનું આમંત્રણ, માટે

'લખ્યું નથી ' અંદર કોઈએ 

આવવું નહી.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.