નસીબ - દેવીબેન વ્યાસ વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 24 સપ્ટેમ્બર, 2023

નસીબ - દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ - નસીબ

લેખકનું નામ- દેવીબેન વ્યાસ વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖


ત્રિકાળના જ્ઞાની હતાં સહદેવ તોયે શું કરે?

સૌ ભાગ્ય આગળ પાંગળા, ના હો નસીબે શું જડે?


છે કર્મ નિર્માતા જગતમાં ખુદ, કરે નિર્માણ જે,

પામી શકે છે માનવી, જેવું કરે તેવું ભરે.


વિચાર પૂર્વક ચાલવું, નિર્ણય કરી મક્કમ મને,

નિજ ધર્મને જાણી જગતમાં તે પ્રમાણે સાંચરે.


બાંધેલ જે મૂઠી અગર ખુલ્લી કરો તો રાખ છે,

વિશ્વાસથી આગળ વધે તો એ જ કંઇ થામી શકે.


કારણ નથી હોતાં કદીયે, પણ મળે કારણ સબબ,

મળતાં ઋણાનુબંધથી, એ ઋણ પ્રમાણે ચૂકવે.


છાનું વિધાતા તણું, આ છાપરું માથા ઉપર,

હર લેખ લેખણથી લખે એ કેમ કરતાં ઉકલે?


તેથી જ છે શાસ્ત્રો તણાં, વિધાન જ્યાં મારગ મળે,

જીવન ભરીને જીવવું, જ્યાં આત્મને આનંદ મળે.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...