સ્વયં સાથે તકરાર - પિયુષ જોશી "શિલ્પધ્રુવ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

સ્વયં સાથે તકરાર - પિયુષ જોશી "શિલ્પધ્રુવ"


રચનાનું નામ:- સ્વયં સાથે તકરાર

લેખકનું નામ :- પિયુષ જોશી "શિલ્પધ્રુવ"

પ્રકાર :- ગઝલ


⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆⋆


સાચવી રાખે હૃદયમાં રોજ  એવો પ્યાર રાખું 

કર્ણ જેવો એક  સાચો મારો પ્યારો યાર રાખું.


હિન વિચારો જે  હૃદયને  કાળું રંગી દે નકામું,

તો સ્વયં સાથે જ  તીખી કાયમી તકરાર રાખું.


આયનો  સાક્ષી બને કે ના  બને હું યાદ રાખી,

કર્મની સાથે જગતમાં ઈશ તણો આધાર રાખું.


ભીંજવે  વરસાદના ફોરા મને જો લાગણીમાં,

લાગણીને  માન આપી લાગણીમાં  હાર રાખું.


આ ગઝલને પણ મઠારી જોને કેવી શિલ્પધ્રુવે!

એ  બને મીઠી ને મધુરી શબ્દમાં એ ભાર રાખું.


લેખકનું નામ :- પિયુષ જોશી "શિલ્પધ્રુવ"


બાંહેધરી :- આથી હું પિયુષ જોશી "શિલ્પધ્રુવ" ખાતરી આપુ છું કે આ ગઝલ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...