વાંસળીના સૂર - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023

વાંસળીના સૂર - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: વાંસળીના સૂર

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


આજ મને સંભળાય છે 

વાંસળીના સૂર,

અને હૃદિયામાં ઉમટે છે

લાગણીના પૂર.


 ગાયોની આંખોમાં કેવા 

ઝગમગે છે નૂર,

જાણે ગોપીઓના પગમાં

બાજે છે નૂપુર.


કાનો લાગે છે આસપાસ

નથી ગયો એ દૂર,

શોધો એને, એ બેઠો હશે

કદંબની ડાળે જરૂર.


ગોપીઓના નેણ અને

રાધાજીના વેણ, 

મોકલાવો હવે ઓલા

કાનુડાને કહેણ.


આવીજા હવે તું

યમુના ને કાંઠે, 

રાધા સિવાય તું 

કોઈને નહી ગાંઠે.


ગોપ ગોપી રાધા 

બધા છે અહીં પાસ,

શ્યામ, પૂનમનો ચાલો

રમી લઈએ રાસ.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...