ભદ્રેશમાંથી - વ્યાસ વાણી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

ભદ્રેશમાંથી - વ્યાસ વાણી

કવિતાનું નામ - ભદ્રેશમાંથી

કવિનું નામ - ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"


મેં મને ખોળી લીધો છે વેશમાંથી,

એટલે નીકળી જવાનો રેસમાંથી.


આપવું ના આપવું એ તારી મરજી,

પણ નથી ફગતો હું મારા ટેસમાંથી.


ક્યાંકથી મળતા હશે ખાતરને પાણી,

કેટલા ચહેરા ફૂટે છે ફેસમાંથી.


રામમાંથી જેટલું શીખી ન શકતા,

એટલું શીખી જતા લંકેશમાંથી.


એટલે તો અંતમાં ગઇ ખોટ મોટી,

જિંદગી ઊંચી ન આવી કેશમાંથી.


સૌના આકર્ષણને જોતા હું ગયો પણ,

દેશ જેવું ના મળ્યું પરદેશમાંથી.


'વ્યાસ'છે નિર્દોષ કોરાટે કહ્યું કે,

'ને હવે એ મુક્ત છે ભદ્રેશમાંથી'


"વ્યાસ વાણી"


આથી હું ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

બાહેધરી આપું છું કે આ રચના મારું પોતાનું મૌલિક સર્જન છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...