ન કરે જો પાલન સ્વયં નિયમ ઘડનાર,
ન મળે જગમાં એ નિયમને પાળનાર...
ન કરે નેતા જો પાલન કાયદાઓનું,
ન મળે શાસન એ દેશમાં કાયદાનું...
ન રાખે કુંભાર જો માટીની શાખ,
ન બંધાય માટી પણ કુંભારને હાથ...
ન કરે વડીલ જો અનુકરણ સંસ્કારોનું,
ન થાય જતન એ ઘરમાં કદીયે સંસ્કારોનું...
ન કરે ફૂલ જો કદર તેની સુવાસની,
ન રાખે એ ફૂલને સાથે કોઈ ઘડીક વારની...
ન કરે સંત જો અનુકરણ એના ધર્મનું,
ન મળે સ્થાન પૂજનીય એને કોઈનાંં હૃદયનું,
ન કરે માનવ જો જતન પ્રકૃતિનું,
ન કરે માનવીની કદર પણ પ્રકૃતિ...
ન કરે નારાયણ અને જો રૂઠે પ્રકૃતિ !
તો થાય અહિત સ્વયં માનવજાતનું...
- પાર્થ પ્રજાપતિ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.