મુજ મનમંદિરમાં એક જ તું શ્રી હરિ,
નીરખું અહીં તહીં બધે જ તું ભાસે...
આ મનમંદિરમાં એક તારો જ દીવો ઝળહળે,
અંતરના અજવાશમાં એક તારો જ પ્રકાશ ભાસે...
ઉઘાડું નયન પ્રભાતે અને દર્શન થાય એક તારા,
નયનોની વચ્ચે હંમેશા એક તારી જ મૂર્તિ ભાસે...
એક તારું જ નામ રહેતું આ હૃદયે સદાયે,
હૃદયની દરેક દીવાલે એક તારી જ છબી ભાસે...
મનના વિવિધ ભાવોમાં તારો જ ઘંટનાદ સંભળાય,
સત્ય, પ્રેમ અને કરુણામાં
તારી જ હાજરી ભાસે...
- પાર્થ પ્રજાપતિ
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
અતિ ઉત્તમ👍
જવાબ આપોકાઢી નાખોખુબ ખુબ આભાર આપનો...
કાઢી નાખો