મનમંદિર - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2020

મનમંદિર

 



મુજ મનમંદિરમાં એક જ તું શ્રી હરિ,
નીરખું અહીં તહીં બધે જ તું ભાસે...

આ મનમંદિરમાં એક તારો જ દીવો ઝળહળે,
અંતરના અજવાશમાં એક તારો જ પ્રકાશ ભાસે...

ઉઘાડું નયન પ્રભાતે અને દર્શન થાય એક તારા,
નયનોની વચ્ચે હંમેશા એક તારી જ મૂર્તિ ભાસે...

એક તારું જ નામ રહેતું આ હૃદયે સદાયે,
હૃદયની દરેક દીવાલે એક તારી જ છબી ભાસે...

મનના વિવિધ ભાવોમાં તારો જ ઘંટનાદ સંભળાય,
સત્ય, પ્રેમ અને કરુણામાં તારી જ હાજરી ભાસે...

                                                      -
પાર્થ પ્રજાપતિ



અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...