મનમંદિર - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2020

મનમંદિર

 



મુજ મનમંદિરમાં એક જ તું શ્રી હરિ,
નીરખું અહીં તહીં બધે જ તું ભાસે...

આ મનમંદિરમાં એક તારો જ દીવો ઝળહળે,
અંતરના અજવાશમાં એક તારો જ પ્રકાશ ભાસે...

ઉઘાડું નયન પ્રભાતે અને દર્શન થાય એક તારા,
નયનોની વચ્ચે હંમેશા એક તારી જ મૂર્તિ ભાસે...

એક તારું જ નામ રહેતું આ હૃદયે સદાયે,
હૃદયની દરેક દીવાલે એક તારી જ છબી ભાસે...

મનના વિવિધ ભાવોમાં તારો જ ઘંટનાદ સંભળાય,
સત્ય, પ્રેમ અને કરુણામાં તારી જ હાજરી ભાસે...

                                                      -
પાર્થ પ્રજાપતિ



અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

જેને દોસ્ત સમજ્યો, તેણે જ છરો ભોંક્યો!

        ઘરના છોકરાં ઘંટી ચાટે અને આતંકવાદીઓને આંટો, આ નીતિ અત્યારે પાકિસ્તાનને એટલી ભારે પડી રહી છે કે પાકિસ્તાને દેવાળું ફૂંકયું છે. પાકિસ્...