Pages

શુક્રવાર, 17 જૂન, 2022

શીદને જાઉં



શીદને જાઉં એ બાગ તરફ હવે, જેના

ફૂલડાં ખરી ગયાં અને કંટકો રહી ગયા...


નથી ઉગમતાં પગ મારા એ માર્ગે, જેનો

ડામર વહી ગયો અને કાકરાં રહી ગયા...


હવે તો એ ઝાડ પણ ડૂસકાં ભરે છે, જેનાં

પાંદડાં ખરી ગયાં અને ડાળખાં રહી ગયા...


શ્વાસ લઉં પણ કઈ રીતે એ હવામાં, જેની

સુગંધ ઉડી ગઈ અને દુર્ગંધ રહી ગઈ...


નથી રહેવું મારે તે સરોવરને કિનારે, જેનાં

જળ ઉડી ગયાં અને કાદવ રહી ગયો...


રહું એકલો, શીદને ભળું એ ભીડમાં, જેની

બુદ્ધિ ઉડી ગઈ અને બુદ્ધુઓ રહી ગયા...


                                    - પાર્થ પ્રજાપતિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.