રડતું મન - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 12 જૂન, 2022

રડતું મન

 


આ કેવી આફતમાં મૂકયો છે તે મને આજે

રડવું આવે છે, છતાં રડી નથી શકાતું...


કારણ શોધી રહ્યો છું હસવા માટે આજે,

ઘણી મહેનત છતાં એ કારણથી નથી મળાતું...


ધીરજ રાખીને બેઠાં હતાં અમે એ આશથી,

મળીશું એક દી, પણ આજે ખુદને નથી મળાતું...


હસતાં ચહેરા પાછળનું દુઃખ, હવે નથી સહેવાતું,

સ્મિત કર્યું ઘણું, હવે જગને નથી છેતરવાતું...


પારકા તો પારકા, પોતાનાં પણ ન સમજ્યાં,

ખિસ્સાનો આ ભીનો રૂમાલ, શાને નથી સુકાતો...


                                              - પાર્થ પ્રજાપતિ


                                              

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...