Pages

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

ક્યાં સંતાયા એ પંખીઓ- વાસુકિયા રસીલા ' રસ '

 


રંગ ઓછા ને જ્યાં પડછાયા ઝાઝા હતા,

એક ઝાડમાં ફૂલ ઓછા ને ફળ ઝાઝા હતા.


કોણ જાણે ક્યાં સંતાયા એ પંખીઓ,

જ્યાં મન એક ને માળા ઝાઝા હતા..


અંધારા ઓછા ને જાગતા એ સ્વપ્ન ઝાઝા હતા

એક આંગણામાં તારલા ઓછાને ચાંદ ઝાઝા હતા.


કોણ જાણે ક્યાં ખોવાયા એ પંખીઓ,

જ્યાં પ્રસંગ એક ને મેળા ઝાઝા હતા.


ઉપરી મોહ ઓછા ને જ્યાં ભાવ ઝાઝા હતા,

એ સંબંધોના સોના કરતા મોલ ઝાઝા હતા.


કોણ જાણે ક્યાં રૂંધાયા એ પંખીઓ,

જ્યાં આત્મા એક ને દેહ ઝાઝા હતા.

- વાસુકિયા રસીલા ' રસ '


આથી હું બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચીત અને અપ્રકાશિત રચના છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.