અગ્નિદાહ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

અગ્નિદાહ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

 રચનાનું નામ:-

અગ્નિદાહ

લેખક:-

ઘનશ્યામ વ્યાસ

"શ્યામ"


ચિતા પર પડેલા

અગણિત નિશ્ચેતન

 દેહ ને જોયા કરું છું.


મુખ પરની તેજની

આભા તો યે બધાને

નિર્વસ્ત્ર ચિતા પર

 જોયા કરું છું.


નિશ્ચેતન દેહ પર્

ચંદન કાષ્ઠ, ચંદનના

હાર જોયા કરું છું.


 અંગુઠે અગ્નિદાહ,  

મીંચાયેલી આંખે શેર

 બજારના અધૂરા સ્વપ્ના જોયા કરું છું.


અરમાનો ને બાળતી

 ઈચ્છા સાથે ભાવ 

 ના તણખલા આકાશે

આંબતા જોયા કરું છું. 


સળગતી ચિતાની

વચ્ચે માર્કેટ વાળાને

શેર બજારની વાતો

કરતા જોયા કરું છું.


  સ્મશાન ભૂમિ ને 

અદ્યતન બનાવવા જો

"સ્મશાન ભૂમિ" નો

 કોઈ આઈપો લાવે.


બે ત્રણ ટીવી મૂકે

 બસ એની રાહ જોયા 

  કરું છું.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ" શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...