ધીરજ છેલ્લે રાણી થાશે - દિલીપ ધોળકિયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

ધીરજ છેલ્લે રાણી થાશે - દિલીપ ધોળકિયા

 લેખકનું નામ : દિલીપ ધોળકિયા, 

                   "શ્યામ"

રચનાનું નામ : ધીરજ છેલ્લે રાણી થાશે..

-----------------



જેવાં વીચારો ઘડતાં જીવો એવી તુજ વાણી થાશે.

ખોટી દાનતથી જે કરશો સઘળું કારજ પાણી થાશે.


કાળા ધોળાં  કરતાં કરતાં માથે તારે  ધોળાં આવ્યા,

ચેતી જા સમજીને બાકી જીવન તો ધુળધાણી થાશે.


આંખો મીંચીને  ચાલો તો  ઠોકર ખાતાં અથડાવાના,

વીના સમજણ મોંઘા મૂલી  જીવન નૈયા કાણી થાશે.


આદત ખોટી લાગે પ્યારી  વાતો બીજી ખોટી ગણશે,

લાગે  વ્હાલી  આજે એતો  કાલે ઘાંચી  ઘાણી થાશે.


ચડતાં શીખર  ટકવા કાજે  સાથે રાખો  હિંમત  હૈયે,

બાજીમાં જીતે  સાચવજો  ધીરજ છેલ્લે રાણી થાશે.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

  જૂનાગઢ.


આથી હું દિલીપ ધોળકિયા, "શ્યામ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...