જીંદગીનું રહસ્ય- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

જીંદગીનું રહસ્ય- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'

રચનાનું નામ - જીંદગીનું રહસ્ય 

લેખકનું નામ- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'મુન્દ્રા કચ્છ



જીંદગીનું રહસ્ય


જીંદગીમાં શું નવો વળાંક આવશે કોને ખબર ?

તારી સાથે મેળાપનું રહસ્ય શું હશે કોને ખબર ?


આમ તો કહેવાય છે થાય છે મિલન કિસ્મતથી,

પરંતુ વિધાતાએ શું વિચાર્યું હશે એ કોને ખબર ?


સાથે રહીને પણ કેમ સહેવી પડે છે આ જુદાઈ,

અંતરના રહસ્યને અંતરથી મપાશે કોને ખબર ?


સ્વપ્નાં તો ઘણા જોયા છે તારી સાથે રહેવાના,

પણ સમયસર પૂરા થશે કે નહીં કોને ખબર ?


મન સંતૃપ્ત થાય છે માત્ર તારા અહેસાસથી,

જીવનરૂપી માયા મળશે કે નહીં કોને ખબર?


લેખકનું નામ:- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'મુન્દ્રા 


 *બાંહેધરી* :- આથી હું, 'સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'મુન્દ્રા કચ્છ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...