મને આવડે છે. - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 6 ઑગસ્ટ, 2023

મને આવડે છે.




તૂટેલાં સપનાઓને શણગારતાં આવડે છે. 

    તૂટેલા દિલને મનાવતા આવડે છે. 

મારાં દર્દો જોઈ પરેશાન ન થાઓ 

     મને દુઃખોમાં પણ હસતાં આવડે છે. 

તમારી યાદો મનને સતાવે એ તમને શી ખબર? 

પૂછો પહેલાં ઓશીકાંને, મને અશ્રુનાં

       વરસાદમાં પણ મેઘધનુષ્ય રચતાં આવડે છે. 

એકવાર અનુભવ તો કર આ સર્જાયેલી 'આકૃતિ'નો 

         તું પણ નિહાળીશ મને કે, 

 દરેક રંગોમાં રંગાતા મને આવડે છે.

- આકૃતિબા મોરી

હું મોરી આકૃતિબા બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...