રજકણ છું- અંજના શ્રીમાળી અંજીતા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

રજકણ છું- અંજના શ્રીમાળી અંજીતા


જીવનની ઘટમાળમાં અટવાયેલી છું

સમયના પ્રવાહમાં જકડાયેલી છું


આમ તો વીતી ગયેલી ક્ષણ છું

જીવન આખાથી વીંધાયેલી જણ છું


જો સમજી શકે તો સમજી જજે મુજને

આકાશી વાદળાનું વિખરાયેલું પડ છું.


ધાગાની વણ ઉકેલાયેલી ગુંચવણ છું

તોડી શકે તેવી એક મૂંઝવણ છું


ઉડાડે ધૂળ તો રણનું રજકણ છું,

ઉડી વળગું જો આંખે તો ,

 આંખનું ખટકણ છું..


લેખકનું નામ:- અંજના શ્રીમાળી અંજીતા 


બાંહેધરી :- આથી હું, 'અંજના શ્રીમાળી અંજીતા ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...