માનું- દેવીબેન વ્યાસ-વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

માનું- દેવીબેન વ્યાસ-વસુધા



સફરમાં સાથ જો તારો મળે તો રમ્ય માનું.

ભરી લઉં હામ તારાથી, અનેરું સખ્ય માનું.


નજરને સંગ મિલાવી, મહાસાગર તરી લઉં,

મળે જો ઘાવ તેને પણ, અનોખું નવ્ય માનું.


ચમનમાં પાનખર આવે, કદી આવે વસંતો,

પરંતુ સાથ તારો હો, સકલને દિવ્ય માનું.


વહેતી ડુંગરેથી જો સરિતા કેટલી દૂર,

મિલનના રાગથી જીવન મજાનું લક્ષ્ય માનું.


નિયમસર સૂર્ય ઉગે પૂર્વમાં ને અસ્ત આથમણે,

ખરે આ જિંદગીને એ જ રીતે ધન્ય માનું. 


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...