શું કામની? - તુષાર પંડયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

શું કામની? - તુષાર પંડયા

રચનાનું નામ - શું કામની? 

લેખકનું નામ- તુષાર પંડયા




મર્યા પછી મડદાની માવજત શું કામની? 

જીવતે જીવ કદર નથી,મર્યા પછીની સજાવટ શું કામની? 


જે પ્રેમને પામવા તરસી ગયા કાયમ,

વ્યક્તિ ગુમાવ્યા બાદની રોકકળાટ શું કામની? 


ટેકાની રાહમાં થાકી ગયા જીવનભર,

નનામી ઉચકવા હવે લોકોની દોટાદોટ શું કામની?


પાસે બેસીને નથી સાંભળી ક્યારેય વેદના,

મડદા પાસે બેસીને આપેલી ધરપત શું કામની? 


ચોમેર માનવતાની મહેંક પ્રસરાવતા રહો 'તુષાર', 

શરીર ધૂળમાં ભળ્યા પછીની શોહરત શું કામની?


- તુષાર પંડયા (ભાવનગર)


બાંહેધરી :- આથી હું, 'તુષાર પંડયા ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...