તો જ બોલો - દેવીબેન વ્યાસ-વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

તો જ બોલો - દેવીબેન વ્યાસ-વસુધા


રચનાનું નામ - તો જ બોલો

લેખકનું નામ-દેવીબેન વ્યાસ-વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖➖



હોય હિંમત તો જ બોલો.

હોય અવગત તો જ બોલો.


કાન ભંભેરો ન ચાલે,

હોય સંપત તો જ બોલો.


સ્વાર્થ કેરી વાત મૂકો,

હોય સવલત તો જ બોલો.


આ સભા છે બુદ્ધ સૌથી,

હોય કૌવત તો જ બોલો.


શબ્દ પર રાખો લગામો,

હોય તાકત તો જ બોલો.


ભાગલાની રીત છોડો,

હોય એકમત તો જ બોલો.


જિંદગીને શ્રેષ્ઠ વાંચો,

હોય સંમત તો જ બોલો.


ના ઉતાવળ હોય ખોટી,

હોય ધરપત તો જ બોલો.


લાગણીની વાત છેડી,

હોય ચાહત તો જ બોલો.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, દેવીબેન વ્યાસ-વસુધા ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...