Pages

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

વણ વંચાયેલા પ્રેમપત્રો- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

 રચનાનું નામ:

વણ વંચાયેલા  

પ્રેમપત્રો

લેખક: 

ઘનશ્યામ વ્યાસ

"શ્યામ"



દુઃખ માં પણ હું ખુશ

હતો કોણ માનશે ?


એક નાની ચબરખીમાં

લખતો તો પ્રેમપત્રો

કોણ માનશે ?


પ્રેમ પત્રો પ્રેમથી 

લખ્યા પણ સંબોધન

ને વાંચનાર કોઈ 

નહોતું કોણ માનશે ?


પ્રેમ પત્રોમાં પ્રેમના

 વસંત કાવ્યો સાથે

 પાનખરની પીડા પણ સાથે હતી

 કોણ માનશે ?


પ્રતિ દિન નવા પત્રો 

થી સજાવતો હતો આ જૂની હવેલી પણ જુના 

 જ પત્રો માં દેખાતા હતા લાગણી ને પ્રેમ

  હવે કોણ માનશે ?


કેવા જતન કેરા સાચવેલા પ્રેમ પત્રો

 મારી જવાનીના,

આ ઝાંખા પડી ગયેલા અક્ષરોમાં

રહેલી વેદનાને કોણ હવે વાંચશે ?


ઘનશ્યામ વ્યાસ

"શ્યામ"

બાંહેધરી :- આથી હું, 'લેખકનું નામ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.