શબ્દો- ઘનશ્યામ વ્યાસ 'શ્યામ' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 7 ઑગસ્ટ, 2023

શબ્દો- ઘનશ્યામ વ્યાસ 'શ્યામ'

 રચનાનું નામ: શબ્દો

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


શબ્દો સાથે  હવે  મારે કોઈ રમત

 રમવી નથી.

સાપસીડીની જેમ 

કોઈને ઉતારી પાડવા પણ નથી.

ગમ્મે એવા શબ્દો ને

મારે સ્થાન આપવું નથી.

શબ્દો થી કોઈને મનદુઃખ થાય એવું 

 મારે લખવું નથી.


અચાનક સ્ફુરેલા શબ્દોથી મન મારે 

ભગવાન શિવાય  કોઈ પાસે ખોલવું નથી.


શબ્દોમાં લાગણી બતાવી કોઈનું દિલ

 જીતવું નથી.


બે લીટીઓની વચ્ચે 

અદ્રશ્ય દિલ ને દુભે એવા શબ્દો મૂકવા નથી.

ખોટું બોલી,ખોટું લખી

 કોઈ સાથે વેર મારે બાંધવું નથી.


પવિત્ર શબ્દોની પ્રાર્થના, 

ભગવાન માટે ની ભાવના,

રામ,શ્યામ ઘનશ્યામની

આરાધના,

  શિવાય બીજુ       લખવું નથી. 

 બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો

અધિકાર છે.

આ પણ વાંચો:- આજના ધૃતરાષ્ટ્રોનાં પાપે સમાજમાં દુર્યોધનો વધી રહ્યા છે


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...