કૃષ્ણ તારી યાદ - ઘનશ્યામ વ્યાસ શ્યામ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 4 ઑક્ટોબર, 2023

કૃષ્ણ તારી યાદ - ઘનશ્યામ વ્યાસ શ્યામ

રચના:- કૃષ્ણ તારી યાદ

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ શ્યામ


કુંજગલીમાંથી જો તું નીસરે

તો આનંદ અમારો પ્રસરે,

તો યે ગોપીઓ તને જોઈને

કાબરચીતરો કેમ ચીતરે ?


આ કદંબના ઝાડે થી

તારી વાંસળી મધુર વાગે 

પણ અમારા હૈયાની વાત

મોરલીના મોઢે કેમ આવે?


રાધા મુખેથી જો પરોઢિયે

નામ તારું નીકળે

તો ગોવાળો સાથે ગાયો 

સાન ભાન કેમ વિસરે?


આ એકાંતની પળોમાં

સાથ તારો અમને મળે

 તો તું અમને વિસારે કે

અમે જાતે વીસરી જઈએ.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...