સમય જ ક્યાં છે... - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 28 જૂન, 2020

સમય જ ક્યાં છે...

પરીક્ષામાં પાસ થવું છે,
પણ વાંચવા માટે સમય જ ક્યાં છે...!

ખૂબ સારું સારું લખવું છે,
પણ વિચારવા માટે સમય જ ક્યાં છે...!

જીવનમાં કંઈક કરીને બતાવવું છે,
પણ કઈક અલગ કરવા માટે સમય જ ક્યાં છે...!

ધંધા રોજગાર આગળ ધપાવવા છે,
પણ અનીતિના ધંધામાંથી સમય જ ક્યાં છે...?

કંઈક નવું સ્ટાર્ટ અપ કરવું છે,
પણ શેખચલ્લીના વિચારો કરવામાંથી સમય જ ક્યાં છે...!

બહાર ખુલ્લી હવાની તાજગી અનુભવવી છે,
પણ અંદરની મૂંઝવણોમાંથી સમય જ ક્યાં છે...!

મિત્રો સાથે ગામના ચોરે જૂની વાતો વાગોળવી છે,
પણ સોશિયલ મીડિયાના મિત્રો પાસેથી સમય જ ક્યાં છે...!

સંતાકૂકડી, સતોડિયું કે પકડ દાવ રમવું છે,
પણ પબજી અને ફ્રી-ફાયરમાંથી સમય જ ક્યાં છે...!

સબંધો તો બધા સાચવવા છે,
પણ એમને નિભાવવા માટે સમય જ ક્યાં છે...!

મહાપુરુષોને મહાન બનવા સમય મળ્યો,
પણ આપણી પાસે એવો સમય જ ક્યાં છે...!

દરેકને સરખો જ સમય આપ્યો ભગવાને,
પણ એને વેડફવાની કળા બધાની સરખી ક્યાં છે...!

જેને કંઈક કરવું છે એ સમય કાઢી જ લે છે,
પણ જેને બહાના બનાવવા છે,
એની પાસે સમય જ ક્યાં છે...!


   -
પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

(
ગામ:- સાઠંબા,તાલુકો :- બાયડ,જીલ્લો:- અરવલ્લી )



11 ટિપ્પણીઓ:

  1. વાહ.. સમય પર કવિતા ખૂબ સારી લાગી.

    -ઉમેશકુમાર0

    જવાબ આપોકાઢી નાખો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...