ન કરે નારાયણ... - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 23 ઑગસ્ટ, 2020

ન કરે નારાયણ...

 

ન કરે જો પાલન સ્વયં નિયમ ઘડનાર,
ન મળે જગમાં એ નિયમને પાળનાર...

ન કરે નેતા જો પાલન કાયદાઓનું,
ન મળે શાસન એ દેશમાં કાયદાનું...

ન રાખે કુંભાર જો માટીની શાખ,
ન બંધાય માટી પણ કુંભારને હાથ...

ન કરે વડીલ જો અનુકરણ સંસ્કારોનું,
ન થાય જતન એ ઘરમાં કદીયે સંસ્કારોનું...

ન કરે ફૂલ જો કદર તેની સુવાસની,
ન રાખે એ ફૂલને સાથે કોઈ ઘડીક વારની...

ન કરે સંત જો અનુકરણ એના ધર્મનું,
ન મળે સ્થાન પૂજનીય એને કોઈનાંં હૃદયનું,

ન કરે માનવ જો જતન પ્રકૃતિનું,
ન કરે માનવીની કદર પણ પ્રકૃતિ...

ન કરે નારાયણ અને જો રૂઠે પ્રકૃતિ !
તો થાય અહિત સ્વયં માનવજાતનું...

                             -
પાર્થ પ્રજાપતિ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...