શું સંઘરવાનું હતું અને શું સંઘરી બેઠો આ માનવી,
માનવતા છોડી હેવાનિયત સંઘરી બેઠો આ માનવી...
કરુણા છોડી ક્રૂરતાની હદ વટાવી બેઠો આ માનવી,
પ્રેમ છોડી ઘૃણાની હદ વટાવી બેઠો આ માનવી...
સત્ય છોડી અસત્યનો સહારો લેતો આ માનવી,
અહિંસા છોડી હિંસામાં તરબોળ થતો આ માનવી...
ધર્મના નેજા હેઠળ અધર્મ આચરતો આ માનવી,
ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ ભૂલતો આ માનવી...
એકતાને બદલે ભાગલાવાદી થઈ ગયો આ માનવી,
સમભાવને બદલે ભેદભાવ કરતો થઈ ગયો આ માનવી...
સત્કર્મને ભૂલીને કુકર્મ આચરતો થઈ ગયો આ માનવી,
દાન ભૂલીને ઉઘાડી લુંટ ચલાવતો થઈ ગયો આ માનવી...
પૈસા કમાવાની ભાગદોડમાં સંબંધોને ભૂલ્યો આ માનવી,
ઇચ્છાઓની તૃષ્ણા સંતોષતા, સદાયે તરસ્યો રહ્યો આ
માનવી...
શું સાચું અને શું ખોટું, વાત આટલી નથી સમજતો આ
માનવી,
પોતાની લાલચ માટે, બીજાનું હિત કે અહિત
ભૂલ્યો આ માનવી...
સત્ય,પ્રેમ, કરુણા અને પ્રામાણિકતા સંઘરવાની હતી ઓ
માનવી,
અસત્ય, ઘૃણા, ક્રૂરતા અને દગાખોરી સંઘરીને બેઠો આ
માનવી..
ભૌતિક સુખોને સંઘરવામાં, નૈતિકતા ભૂલ્યો આ
માનવી,
સિવાય સત્કર્મ, સઘળું અહીં જ મૂકીને
જશે આ માનવી...
શું સંઘરવાનું હતું અને શું સંઘરી બેઠો આ માનવી,
માનવતા છોડીને હેવાનિયત સંઘરી બેઠો આ માનવી...
- પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
Nice Parth
જવાબ આપોકાઢી નાખોThanks 😊
કાઢી નાખો