Pages

રવિવાર, 9 ઑગસ્ટ, 2020

સત-સંગ્રહ

 

શું સંઘરવાનું હતું અને શું સંઘરી બેઠો આ માનવી,
માનવતા છોડી હેવાનિયત સંઘરી બેઠો આ માનવી...

કરુણા છોડી ક્રૂરતાની હદ વટાવી બેઠો આ માનવી,
પ્રેમ છોડી ઘૃણાની હદ વટાવી બેઠો આ માનવી...

સત્ય છોડી અસત્યનો સહારો લેતો આ માનવી,
અહિંસા છોડી હિંસામાં તરબોળ થતો આ માનવી...

ધર્મના નેજા હેઠળ અધર્મ આચરતો આ માનવી,
ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ ભૂલતો આ માનવી...

એકતાને બદલે ભાગલાવાદી થઈ ગયો આ માનવી,
સમભાવને બદલે ભેદભાવ કરતો થઈ ગયો આ માનવી...

સત્કર્મને ભૂલીને કુકર્મ આચરતો થઈ ગયો આ માનવી,
દાન ભૂલીને ઉઘાડી લુંટ ચલાવતો થઈ ગયો આ માનવી...

પૈસા કમાવાની ભાગદોડમાં સંબંધોને ભૂલ્યો આ માનવી,
ઇચ્છાઓની તૃષ્ણા સંતોષતા, સદાયે તરસ્યો રહ્યો આ માનવી...

શું સાચું અને શું ખોટું, વાત આટલી નથી સમજતો આ માનવી,
પોતાની લાલચ માટે, બીજાનું હિત કે અહિત ભૂલ્યો આ માનવી...

સત્ય,પ્રેમ, કરુણા અને પ્રામાણિકતા સંઘરવાની હતી ઓ માનવી,
અસત્યઘૃણાક્રૂરતા અને દગાખોરી સંઘરીને બેઠો આ માનવી..

ભૌતિક સુખોને સંઘરવામાં, નૈતિકતા ભૂલ્યો આ માનવી,
સિવાય સત્કર્મ, સઘળું અહીં જ મૂકીને જશે આ માનવી...

શું સંઘરવાનું હતું અને શું સંઘરી બેઠો આ માનવી,
માનવતા છોડીને હેવાનિયત સંઘરી બેઠો આ માનવી...

                                                     -
પાર્થ પ્રજાપતિ

                                   ( વિચારોનું વિશ્લેષણ )












2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.