શીદને જાઉં - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 17 જૂન, 2022

શીદને જાઉં



શીદને જાઉં એ બાગ તરફ હવે, જેના

ફૂલડાં ખરી ગયાં અને કંટકો રહી ગયા...


નથી ઉગમતાં પગ મારા એ માર્ગે, જેનો

ડામર વહી ગયો અને કાકરાં રહી ગયા...


હવે તો એ ઝાડ પણ ડૂસકાં ભરે છે, જેનાં

પાંદડાં ખરી ગયાં અને ડાળખાં રહી ગયા...


શ્વાસ લઉં પણ કઈ રીતે એ હવામાં, જેની

સુગંધ ઉડી ગઈ અને દુર્ગંધ રહી ગઈ...


નથી રહેવું મારે તે સરોવરને કિનારે, જેનાં

જળ ઉડી ગયાં અને કાદવ રહી ગયો...


રહું એકલો, શીદને ભળું એ ભીડમાં, જેની

બુદ્ધિ ઉડી ગઈ અને બુદ્ધુઓ રહી ગયા...


                                    - પાર્થ પ્રજાપતિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...