પ્રેમની સમજણ - પિયુષ જોશી 'શિલ્પધ્રુવ' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 1 ઑગસ્ટ, 2023

પ્રેમની સમજણ - પિયુષ જોશી 'શિલ્પધ્રુવ'

 રચનાનું નામ :- પ્રેમની સમજણ 

લેખકનું નામ :- પિયુષ જોશી 'શિલ્પધ્રુવ'




આંખોથી આંખો મેળવી પ્રેમનો ઈઝહાર કરવાનો હોય,

ખુશીનાં ગુલદસ્તાથી પછી એને ગુલઝાર કરવાનો હોય.


ભૂલનાં તોફાનમાં ફસાઈ એ વાતોમાં થોડી ગેરસમજથી,

સત્યનાં ભરોસે રહી જે ભૂલ થઈ સ્વીકાર કરવાનો હોય.


જેને પોતાના પ્રિય બનાવ્યા આંખોમાં એ તસવીર રાખી,

પારકી ગુલાબી રંગીન લાગણીનો ધુત્કાર કરવાનો હોય.


મંદિરના દરવાજે શ્રધ્ધાથી બાધા ના દોરો ઘણાં બાંધે છે,

મળ્યાં નસીબમાં, મનગમતાંનો સાક્ષાત્કાર કરવાનો હોય.


ગેરસમજણે થયેલી ધુમ્મસની ચાદર તો હટાવવી પડે છે,

શિલ્પધ્રુવ સમજના પ્રકાશે પ્રેમમાં આકાર કરવાનો હોય.


લેખકનું નામ:- પિયુષ જોશી 'શિલ્પધ્રુવ'


બાંહેધરી :- આથી હું, પિયુષ જોશી 'શિલ્પધ્રુવ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...