પળવારમાં - દેવીબેન વ્યાસ વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 5 ઑગસ્ટ, 2023

પળવારમાં - દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ - પળવારમાં

લેખકનું નામ-દેવીબેન વ્યાસ-વસુધા



દશા પલટી શકે પળવારમાં.

સમય બદલી શકે પળવારમાં.


હશે જો હામ હૈયામાં ભરી,

ગમન સમજી શકે પળવારમાં.


બહારો પણ અહીં ખીલી શકે,

ચમન મલકી શકે પળવારમાં.


હશે મક્કમ ઇરાદો જો દિલે,

પ્રબળ પકડી શકે પળવારમાં.


જખમની શું વિસાતો અહીં,

કસક વિસરી શકે પળવારમાં.


નથી એનો નથી અફસોસ કો'

શુકન છલકી શકે પળવારમાં.


મળ્યું એ લૂંટને આનંદથી,

સફર સુધરી શકે પળવારમાં.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...