રૂહાની - લઘુ કાવ્યો ભાગ-૧ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 1 ઑગસ્ટ, 2023

રૂહાની - લઘુ કાવ્યો ભાગ-૧



અજવાળાની આશા


આજે અંધારું ભલે, કાલે સોનાનો સૂરજ ઉગશે.

પ્રભાત લઈ આવશે અજવાળું.

કાળા વાદળો છો અત્યારે, સવારનું એક કિરણ ચિરશે તેને.

રાત છે હવે થોડી ક્ષણોની હમણાં સોનેરી સવાર થશે.

આજે અંધારું ભલે, કાલે સોનાનો સૂરજ ઉગશે ને?


------------------------------------------------------------------------


કોરો શ્રાવણ


આંખે આવીને ઉભુ આંસુ,

ટપક્યું નહી.

પાંપણ ભીંજાઈ નહી ને વાદળ વરસ્યું નહી.

કાળા ડીબાંગ વાદળમાંથી એક ટીપું પણ ફરક્યું નહી.

કોરો કટાક વીત્યો શ્રાવણ,

મન ભિંજાયું નહી.

પવનથી વિખેરાઈ ગયું વાદળ, તરસ્યું સઘળું આંખ વરસી નહી.


------------------------------------------------------------------------


ખાલી અંતર


ભીતર નર્યું ખાલી,

બહારનો કોલાહલ ભરું છું.

અંતર લાગી કઈ પહોચતું નથી.

વ્યસ્તતાથી ઠાંસોઠાંસ અસ્તિત્વને ભરી દેવા મથુ, પણ ! માયલો જરા અળવિતરો છે.

કોઈ બહાના ચલાવતો નથી.

બહુ પ્રયત્ન કર્યા છતાં કઈ વળ્યું નહી.

ભીતર ખાલીનું ખાલી જ રહી ગયું.


લેખિકાનું નામ:- રૂપલ ભટ્ટ થાનકી "રૂહાની"... 


બાંહેધરી :- આથી હું, ' રૂપલ ભટ્ટ "રૂહાની" ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...