અવતરણ (હાઈકુ) - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

અવતરણ (હાઈકુ) - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ:- અવતરણ (હાઈકુ) 

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


એકબીજાથી 

અજાણ્યા કેવા મળ્યા 

જોઈ કુંડળી. 


સારામાં સારા

ગુણાંક બંનેના જો

ને કેવા મળ્યા !


બહાર ગયા

પડી સમજણ ને

કર્યું વહાલ.


સગાઈ કરી

સાત ફેરા ફરીને

વસાવ્યું ઘર.


એક વર્ષમાં

સંતાનનું થયું ત્યાં

અવતરણ.


દીકરી આવી

  શોધી નામ ખુશીથી

પાડ્યું હાઈકુ.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...