એક વાત - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023

એક વાત - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચના:- એક વાત

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


આંખોએ છુપાવેલી 

કહેવી છે વાત,

ભલે હિંડોળે ઝુલુ હું

માઝમ રાત.


ફૂલો સાથે પતંગિયાનો

જોયો મેં પ્રેમ,

 ભમરાને કેમ આવ્યો

એમાં વહેમ ?


આ મનગમતું સગપણ

ને અનોખી વાત,

તમે પણ જોઈને રાખજો

છાની આ વાત.


વ્હાલાની મોરલીના

સંભળાય રાધાને સૂર,

તો યે ગાયો ભાંભરતી આવે 

ભલે ને હોય દૂર.


આ કાન અને સૂરની

કેવી અનોખી વાત,

 મારા હૈયાને તો આ

 ગોઠી ગઈ વાત.


ભલે હિંડોળે ઝુલુ હું

આખી રાત,

આજ મનગમતી મારે 

કહેવીતી વાત.


 

બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...