કવિનું બારણું - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 18 સપ્ટેમ્બર, 2023

કવિનું બારણું - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચના: કવિનું બારણું 


બારણું ખાલી આ 

અમથું જ ટેકવેલુ છે, માટે

'લખ્યું નથી' અંદર કોઇએ આવવું નહીં.


આમ તો આવે કવિઓ

 મહેફિલ સજાવવા, માટે

'લખ્યું નથી ' અંદર કોઈએ 

આવવું નહી.


ઘણા ગઝલકાર પણ મળી

રહેશે,આવશે જામ સાથે, માટે

'લખ્યું નથી ' અંદર કોઈએ 

આવવું નહી.


દુશ્મનો ભલે આવો, કવિતા

સજાવજો હથિયારની. માટે

'લખ્યું નથી ' અંદર કોઈએ 

આવવું નહી.


કૂતરાને નથી સાંકળ

એટલે ભસસે તો નહી,

પણ ડૉરબેલ માં કવિતા 

ભસે તો ડરવું નહી.


આ તો છે શ્યામનું બારણું 

 ને શ્યામનું આમંત્રણ, માટે

'લખ્યું નથી ' અંદર કોઈએ 

આવવું નહી.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...