Pages

સોમવાર, 2 ઑક્ટોબર, 2023

બુદ્ધિ અને દિલ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા

રચનાનું નામ: બુદ્ધિ અને દિલ

લેખક નું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા


બુદ્ધિ અને દિલ..


બુદ્ધિ માનવને આપી પ્રભુએ,

દિલ પણ આપ્યું સાથે..

કાંટાની ધારે ચાલતો માનવ,

ત્રાજવું કરે તેનાં લેખાં જોખાં..


બુદ્ધિથી કામ કરે માનવ

એક ને એક બે કરે..

વળી કરતો રહે કાવાદાવા,

સામાને ફસાવે બુદ્ધિબળથી


દિલથી કરે જે કામ માનવ!

એક ને એક અગિયાર કરે..

બાંધ છોડ એ કરતો રહે,

સંબંધોને આપે મહત્તા..


હોડ બુદ્ધિ અને દિલની,

પલ્લુ નમે હંમેશા દિલનું..

બુદ્ધિ ભલે કરે અભિમાન,

પલ્લુ નમે હ્રદય નું હંમેશા..


શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા


બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.