વૃક્ષ - આકૃતિબા મોરી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

વૃક્ષ - આકૃતિબા મોરી


વંદન એ વૃક્ષને જે બન્યાં મારા ભેરુ.

અરણ્યમાં અડાબીડ ઊભેલા એ, 

      મને ખભે-ખભો મેળવવાનું કહેતાં. 

એ લીલુંછમ ઘાસ જે, 

      પૃથ્વીનો આદિમ રોમાંચ! 

એ ધરતી પર સરકતી વેલો,

      મને સૌની સાથે ચાલવા કહેતી! 

પપૈયાનું બાહુ ફેલાવતું ઝાડ, 

    આવકાર સૌને મીઠો આપવા કહેતું!

એ વંદનીય વૃક્ષો, 

     મને મિત્ર બની રહેવા કહેતું!


-આકૃતિબા મોરી 

ઉપરોક્ત કૃતિ સ્વરચિત છે. જેની બાંહેધરી આપું છું. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...