નવા વર્ષે સઘળું નિરાળું - ભદ્રેશ વ્યાસ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 12 નવેમ્બર, 2023

નવા વર્ષે સઘળું નિરાળું - ભદ્રેશ વ્યાસ

વરસના અંતિમ દિવસ અને પ્રથમ દિવસની શુભકામનાઓ


નવ્ય વર્ષે સઘળું નિરાળું



એક ભાણે બેસી ઘર જમતું નિહાળું, 

આ જગતનું એક સરખું હોય વાળું. 


એકદમ ઉજળો રહે પ્રત્યેક દાડો, 

રાતનું જોવા મળે ના મોઢું કાળું,


આપણી વચ્ચે વધે વિશ્વાસ એવો, 

કે રહે ના કોઇ વાતે ક્યાંય તાળું. 


આ દિવાળી સાફસૂફી એટલી કે, 

કોઇ મનમાં ના રહે એકેય જાળું. 


વૃક્ષ ફાલે ફૂલે,લીલાછમ રહે સૌ, 

પણ કુહાડી વૃક્ષનું ના થાય ડાળું. 


માગણી મારી પ્રભુ આ નવ્ય વર્ષે, 

આ જગત સદ્ભાવથી છલકાતું ભાળું. 


જ્યાં નજર મારી પડે આ નવ્ય વર્ષે,

બસ મને જોવા મળે સઘળું નિરાળું. 


- "વ્યાસ વાણી" પરિવાર

ભદ્રેશ,હંસા,પાર્થ અને ઝંખના વ્યાસ.


શુભ દીપાવલી 

અને નૂતન વર્ષા અભિનંદન. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...