મને જીવવા દો - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 23 સપ્ટેમ્બર, 2023

મને જીવવા દો - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'

રચનાનું નામ: મને જીવવા દો

લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'


મને જીવવા દો..


કંઈક પૂણ્ય કર્મ આધારે,

માનવ જન્મ મળ્યો મને..

મનખા દેહ જીવવો મારે,

મને જીવવા દો ..


કર્મ મારાં ભોગવવા મારે,

દેહના દંડ ભોગવવા મારે..

સારું નરસુ થઈ જાય ભલે,

મને જીવવા દો..


સાચા ખોટા બધાય કાર્યો!

મારાં કર્મ મારો આયનો!

એ જમા ઉધાર કરે હરિ મારો..

મને જીવવા દો..


મારા હિસ્સાનું સુખ દુ:ખ,

હું જ ફકત ભાગીદાર..

મારે એ ભોગવવું રહ્યું,

મને જીવવા દો..


પીડા યાતના પૂરી કરવી- 

આ ભવમાં મારે!

પછી ભળી જશે જીવ શિવ માં..

છોડો મને મારા હાલ પર,

મને જીવવા દો..


શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા


બાંહેધરી: આથી હું મીનાક્ષી બાંહેધરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનુની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...